જય ગિરનારી

અલગારી (ગજેન્દ્ર ચાવડા)નો કવિતાસંગ્રહ

ન કમાવાની ચિંતા,
ન મરવાની ચિંતા.

પ્રસન્નતા પૂર્વક ગુલાબ જુદા જુદા ફૂલો,
મ્હોરી ઉઠ્યા, મહેંકી રહ્યા.

ન દાદ છે, ન ફરીયાદ છે,
માત્ર પ્રકૃતિને સમર્પિત છે.

માનવ પણ પ્રેમથી કેમ ન જીવે,
અગર આવે મોત – મોજથી મરી જઈએ.

મળ્યો છે, આ અવસર જીંદગી જીવવાનો,
જુંદાદીલીથી જીવી લઈએ.

માગને માત્ર, ઈશ્વરને સમર્પિત થઈ,
આનંદથી થોડુંક જીવી લઈએ.

બને તો માતાજીને યાદ કરી લઈએ,
બને તો ગીરનારને યાદ કરી લઈએ.

અલગારી ( જી. કે. ચાવડા)